Kusumavali: Jhaverchand Meghani Book

Rajkot Gurukul
4.6
5 கருத்துகள்
மின்புத்தகம்
86
பக்கங்கள்
ரேட்டிங்குகளும் கருத்துகளும் சரிபார்க்கப்படுவதில்லை மேலும் அறிக

இந்த மின்புத்தகத்தைப் பற்றி

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન સાહિત્ય પ્રકાશન વિભાગના ઉપક્રમે કુસુમાવલિ પુસ્તકની આ આવૃત્તિ પ્રસિદ્ધ કરતા આનંદ અનુભવીએ છીએ. કુસુમાવલિની પ્રથમ આવૃત્તિ મુંબઈના હરિભક્ત શિરોમણી શેઠ શ્રી કરમશી દામજી જે.પી.ની પુણ્ય સ્મૃતિમાં એમના જીવન વૃત્તાંત સાથે આજથી ૯૨ વર્ષ પહેલાં સને ૧૯૨૯માં બોટાદ ‘સત્સંગ સુધા’ કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલ.


આ કુસુમાવલિનું સંપાદન સાકરલાલ ગણેશજી શાસ્ત્રીએ કરેલું છે. એમાં ભાષાનો ઓપ આપવાનું કાર્ય મૂળભાવ જાળવી રાખીને સાક્ષર સિદ્ધહસ્ત લેખક શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીએ કરેલ હોય એમ શૈલી અને રજુઆત પરથી જણાય છે. કારણ કે આ પુસ્તકનું પ્રિન્ટિંગ અમૃતલાલ દલપતભાઈ શેઠના સૌરાષ્ટ્ર મુદ્રણાલયમાં થયું છે. શ્રી ઝવેરચંદભાઈ મેઘાણી એ અરસામાં આ મુદ્રણાલયનું કાર્ય સંભાળતા ને ફૂલછાબ અખબાર પણ રાણપુરથી પ્રસિદ્ધ કરતા હતા.


આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિપુલ સાહિત્યસાગરમાંથી શાસ્ત્રી સાકરલાલજીએ આ ૧૩ પ્રસંગોને અનુલક્ષીને માહિતી સભર આકલન કર્યું. શ્રી ઝવેરચંદભાઈ મેઘાણીએ સંવાદક ભાષામાં સરસ શૈલીમાં આગવો ઓપ આપી પ્રસંગોને નજર સામે તરવરે એવી રસ સભર ભાષામાં રજૂ કર્યાં. જેથી વાચનારની રસવૃત્તિ જળવાય રહે એટલું જ નહિ પણ ફરી ફરી વાંચવાનું મન થાય, એવી સત્સંગમાં બનેલ આ ઘટના પ્રસંગો છે. જે વાંચવાથી પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણનો મહિમા, સત્સંગની પ્રણાલી અને સમર્થ સંતવર્ય ગોપાળાનંદ સ્વામી આદિ સંતોનો પ્રતાપ અને આગવું સંતત્ત્વ જણાય આવે છે.


શ્રીજી મહારાજના સમકાલીન નંદ સંતોએ પોતે લખેલ વાતોમાં શ્રીજી મહારાજ અને એમના યોગમાં આવેલ ઘણાય સંતો અને ભક્તજનોનાં જીવનના પ્રેરક પ્રસંગો નોંધ્યા છે. આ નૂતન પ્રસંગોનો ઘટના ક્રમ અને વાસ્તવિકતા જાળવી રાખીને એમાં ખૂટતા સંદર્ભો ઉમેરીને રસ સભર ભાષામાં રજૂ કરવામાં આવે તો જિજ્ઞાસુઓ હોંશે હોંશે વાંચે અને પ્રેરણા મેળવે. સંપ્રદાયના મૂર્ધન્ય લેખકો આ અંગે ઘણું કરી શકે એમ છે.


સદ્‌. સ્વામી દેવકૃષ્ણદાસજીની પ્રેરણા અને પ્રાપ્ત થયેલ જૂની પ્રતને આધારે આ કુસુમાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં પાર્ષદ વશરામ ભગતે પ્રુફ તપાસવામાં સહાય કરી છે. સ્વામી રસિકવલ્લભદાસજીએ પેઈજ સેટિંગ અને જરૂરી સુશોભન કરેલ છે. સાધુ વિશ્વસ્વરૂપદાસજી સ્વામીએ ટાઈટલ પેજની ડિઝાઈન વગેરેની સેવા કરી આપેલ છે.


આશા રાખીએ છીએ કે ગુરુકુલ સંસ્થાનનું આ પ્રકાશન અન્ય પ્રકાશનની જેમ જ સત્સંગ સમાજના ભાવિકોને પ્રેરણાદાયી અને ઉપયોગી થઈ રહેશે.

மதிப்பீடுகளும் மதிப்புரைகளும்

4.6
5 கருத்துகள்

இந்த மின்புத்தகத்தை மதிப்பிடுங்கள்

உங்கள் கருத்தைப் பகிரவும்.

படிப்பது குறித்த தகவல்

ஸ்மார்ட்ஃபோன்கள் மற்றும் டேப்லெட்கள்
Android மற்றும் iPad/iPhoneக்கான Google Play புக்ஸ் ஆப்ஸை நிறுவும். இது தானாகவே உங்கள் கணக்குடன் ஒத்திசைக்கும் மற்றும் எங்கிருந்தாலும் ஆன்லைனில் அல்லது ஆஃப்லைனில் படிக்க அனுமதிக்கும்.
லேப்டாப்கள் மற்றும் கம்ப்யூட்டர்கள்
Google Playயில் வாங்கிய ஆடியோ புத்தகங்களை உங்கள் கம்ப்யூட்டரின் வலை உலாவியில் கேட்கலாம்.
மின்வாசிப்பு சாதனங்கள் மற்றும் பிற சாதனங்கள்
Kobo இ-ரீடர்கள் போன்ற இ-இங்க் சாதனங்களில் படிக்க, ஃபைலைப் பதிவிறக்கி உங்கள் சாதனத்திற்கு மாற்றவும். ஆதரிக்கப்படும் இ-ரீடர்களுக்கு ஃபைல்களை மாற்ற, உதவி மையத்தின் விரிவான வழிமுறைகளைப் பின்பற்றவும்.