Aamba Sheth: Life Characters of Devotees

2,8
4 рецензии
Е-книга
129
Страници
Оцените и рецензиите не се потврдени  Дознајте повеќе

За е-книгава

શ્રીજી મહારાજ વરતાલના ૧૯મા વચનામૃતમાં કહે છે, કે ‘‘આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે.’’


આંબા શેઠના જીવનમાં પણ આવી જ ઘટના બનેલ. ગઢાળી ગામના મહેતલિયા પરિવારમાં જન્મ અને એ જ સમયમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનું સદાચારમૂલક ભાગવતધર્મ પ્રવર્તન કાર્ય ચાલતું હતું. ગઢાળીથી ૭ કિ.મી.ના અંતરે આવેલ ગઢડામાં પ્રભુનો નિવાસ.


આ બાજુ યુવાન આંબાશેઠ બાપદાદા વખતની દુકાન ન્યાયનીતિથી ચલાવે. ગામમાં એમની શેઠ તરીકેની સારી પ્રતિષ્ઠા. ગામ લોકોને એમનામાં ભારે ભરોસો. શેઠ પણ ભારે મુમુક્ષુ આત્મા. પ્રગટ ભગવાન મળે એવી ઝંખના સેવે. એમનું ભાગ્ય જાગ્યું અને ગઢપુર પ્રભુના દર્શને આવ્યા. શ્રીજી મહારાજના દર્શન થતાં જ આ બુદ્ધિશાળી વણિક પુત્રે ભગવાનને ઓળખી લીધા. વર્તમાન ધારણ કરીને પ્રભુના આશ્રિત થયા અને ધન્યતા અનુભવી.


પછી તો સદ્‌. મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતના યોગમાં આવતા એમની સમજણ વધુ દૃઢ ને પરિપકવ બની. શ્રીજી મહારાજ, એમના સંતો અને હરિભક્તોના મહિમા સાથે ભક્તિભાવનો રંગ ચડતો જ રહ્યો. એમનો પ્રેમભાવ પણ સદાય અધિક ને અધિક વધતો જ રહ્યો. એ તો આ પુસ્તિકામાં લખાએલ એમના ભક્તિસભર જીવનના પ્રસંગો વાંચતા જ જણાઈ આવે છે.


ભક્તરાજ આંબા શેઠની ચોથી પેઢીના એમના વંશ જ પ.ભ. શ્રી ધીરુભાઈ મહેતલિયાએ અહોભાવ સાથે પૂ. સદ્‌. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીની પ્રેરણાથી આ પુસ્તિકા લખવાનું કાર્ય. શાસ્ત્રી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીને સોંપેલ અને એમણે સત્સંગ સાહિત્યમાંથી પ્રેમી ભક્તરાજ આંબા શેઠના જીવન પ્રસંગો એકત્ર કરીને સં. ૨૦૧૭માં આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ છપાવેલ. જેને સત્સંગમાંથી સારો પ્રતિભાવ મળતા પ.ભ. શ્રી ધીરજલાલ દુર્લભજીભાઈના સુપુત્રો શ્રી ચંદ્રકાંતભાઈ, એન્જિનિયર શ્રી બળવંતભાઈ, ડૉ. શ્રી સુરેશભાઈ અને શ્રી શરદભાઈ વગેરે મહેતલિયા પરિવારે વિનામૂલ્યે પોતાના પૂર્વજ પૂજ્ય શ્રી આંબા શેઠના પુનિત પ્રસંગોની આ પુસ્તિકાનું પ્રકાશન ચાલુ રાખેલ છે.

Оцени и рецензии

2,8
4 рецензии

Оценете ја е-книгава

Кажете ни што мислите.

Информации за читање

Паметни телефони и таблети
Инсталирајте ја апликацијата Google Play Books за Android и iPad/iPhone. Автоматски се синхронизира со сметката и ви овозможува да читате онлајн или офлајн каде и да сте.
Лаптопи и компјутери
Може да слушате аудиокниги купени од Google Play со користење на веб-прелистувачот на компјутерот.
Е-читачи и други уреди
За да читате на уреди со е-мастило, како што се е-читачите Kobo, ќе треба да преземете датотека и да ја префрлите на уредот. Следете ги деталните упатства во Центарот за помош за префрлање на датотеките на поддржани е-читачи.