Saurastrano Madhapudo

· Gurjar Prakashan
4,8
46 reseñas
eBook
239
Páginas
Apto
Las valoraciones y las reseñas no se verifican. Más información

Información sobre este eBook

ઘડાયેલું રાષ્ટ્ર જ મહાન બનતું હોય છે. રાષ્ટ્રની પ્રજાનું જે સ્વરૂપ હોય, તે જ રાષ્ટ્રનું સ્વરૂપ બને. ઘડાયેલી પ્રજાથી જ રાષ્ટ્ર ઘડાતું હોય છે. પ્રજાની મહાનતા કે અધમતામાં બે કારણો બહુ મહત્ત્વનાં હોય છે: 1. તેની આનુવંશિકતા અને 2. તેનું ઘડતર. આનુવંશિકતા કુદરતી હોય છે. સાગ-સીસમ કુદરતી છે. તેના ઉપર નકશી કરવી એ તેનું ઘડતર કહેવાય. કુશળ સુથાર તે કામ કરતો હોય છે. પણ સાગ-સીસમની જગ્યાએ એરંડો કે આકડો હોય તો કુશળ સુથાર પણ ઘડતર ન કરી શકે. ભારતમાં અસંખ્ય પ્રકારની આનુવંશિકતાવાળી પ્રજાઓ છે, એટલે બધાંનું આનુવંશિક મૂલ્ય એકસરખું નથી. આ બાબતમાં કોઈના માટે કશું કહેવાય નહીં. આનુવંશિકતામાંથી વ્યક્તિત્વ પ્રગટતું હોય છે, જે જન્મજાત હોય છે. પણ ઘડતરની બાબતમાં ઘણું થઈ શકે તેમ છે. પ્રજાના પાંચ ઘડવૈયાઓ હોય છે: 1. રાજા અથવા રાજનેતાઓ, 2. ધર્માચાર્યો, 3. સાહિત્યકારો, કવિઓ, કલાકારો, 4. સમાજનેતાઓ અને 5. શિક્ષકો. આ પાંચે મળીને પ્રજાનું ઘડતર કરતા હોય છે. પણ જો તે પોતે ઘડાયેલા હોય તો જ તે પ્રજાનું ઉત્તમ ઘડતર કરી શકે. જો તે પોતે જ અણઘડ હોય તો પ્રજાને અણઘડ બનાવી મૂકે. દુર્ભાગ્યવશ અત્યારે લગભગ બધી દિશાઓમાં અણઘડતર પ્રસરી ગયું છે, એટલે પ્રજા પણ અણઘડતાનો મોટો શિકાર બની ગઈ છે. અણઘડતા ત્રણ પ્રકારની હોય છે: 1. અનુશાસનહીનતા 2. મોરલ-હીનતા અને 3. વ્યવહારહીનતા.

Valoraciones y reseñas

4,8
46 reseñas

Acerca del autor

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

Valorar este eBook

Danos tu opinión.

Información sobre cómo leer

Smartphones y tablets
Instala la aplicación Google Play Libros para Android y iPad/iPhone. Se sincroniza automáticamente con tu cuenta y te permite leer contenido online o sin conexión estés donde estés.
Ordenadores portátiles y de escritorio
Puedes usar el navegador web del ordenador para escuchar audiolibros que hayas comprado en Google Play.
eReaders y otros dispositivos
Para leer en dispositivos de tinta electrónica, como los lectores de libros electrónicos de Kobo, es necesario descargar un archivo y transferirlo al dispositivo. Sigue las instrucciones detalladas del Centro de Ayuda para transferir archivos a lectores de libros electrónicos compatibles.