Nitya Vidhi & Shikshapatri

5.0
1 રિવ્યૂ
ઇ-પુસ્તક
396
પેજ
રેટિંગ અને રિવ્યૂ ચકાસેલા નથી વધુ જાણો

આ ઇ-પુસ્તક વિશે

પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ અત્યંત કૃપા કરીને દીર્ધદૃષ્ટિથી સર્વશાસ્ત્રોના સારરૂપ સર્વજીવોને હિતાવહ એવી આ શિક્ષાપત્રી સ્વહસ્તે લખી છે. તેથી તેમની આ વાણી તેમનું જ સદાય પ્રગટ સ્વરૂપ છે. શ્રીહરિએ સ્વયં શિક્ષાપત્રીના ૨૦૯માં શ્લોકમાં એ વાત કહી છે. તેથી એ પરમ આદર્શ, આદરરૂપ અને ઉપાસ્ય સ્વરૂપ બને છે. શિક્ષાપત્રી એટલે ધર્મ મર્મજ્ઞોનું ધબકતું ધર્મ શાસ્ત્ર, નીતિ વિશારદોનું નિપુણ નીતિશાસ્ત્ર, સ્મૃતિજ્ઞોનું એ સ્મૃતિ શાસ્ત્ર છે. જ્યારે આજના વિછિન્ન સમાજ જીવનમાં જીવતા લોકો માટે તો જીવંત સમાજશાસ્ત્ર છે.


શિક્ષાપત્રીના આદેશોનું સમાજમાં પાલન થાય તો ખરેખર આજના આ સમાજજીવનનું ચિત્ર બદલાઈ જાય એટલું જ નહિ અનેક વિટંબણાઓ હલ થઈ જાય. આ પુસ્તકમાં શિક્ષાપત્રી ઉપરાંત મુમુક્ષુને નિત્યપાઠમાં ઉપયોગી એવા પંચરત્ન સમા જનમંગલ, સર્વમંગલ, હરિકવચ, નારાયણકવચ, સંકટહર સ્તોત્ર તેમજ હનુમત્સ્તોત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સાયં પ્રાર્થનામાં ઉપયોગી ગોડીથી પોઢણિયા સુધીનાં નિત્ય નિયમો, અષ્ટકો, કીર્તનો, ધ્યાન ચેષ્ટાંનાં પદો, સૂતક નિર્ણય વગેરેને પણ સમાવી લીધાં છે.


સંપ્રદાયમાં ‘નિત્યવિધિ’થી પ્રસિદ્ધ આ લઘુગ્રંથમાં દરેક સત્સંગીને દૈનિક પ્રાર્થના-સ્તુતિ-પાઠવિધિમાં ઉપયોગી સામગ્રી સમાવિષ્ટ થવાથી સહજરીતે વધુ ઉપયોગી સિદ્ધ થશે. સંસ્કૃત શ્લોકોને દેવનાગરીલિપિ (બાળબોધલિપિ) ને સ્થાને ગુજરાતીમાં છાપવા પાછળ તેનો પાઠ કરવામાં સરળતા રહે તેવો આશય રહ્યો છે.

રેટિંગ અને રિવ્યૂ

5.0
1 રિવ્યૂ

આ ઇ-પુસ્તકને રેટિંગ આપો

તમે શું વિચારો છો અમને જણાવો.

માહિતી વાંચવી

સ્માર્ટફોન અને ટૅબ્લેટ
Android અને iPad/iPhone માટે Google Play Books ઍપ ઇન્સ્ટૉલ કરો. તે તમારા એકાઉન્ટ સાથે ઑટોમૅટિક રીતે સિંક થાય છે અને તમને જ્યાં પણ હો ત્યાં તમને ઑનલાઇન અથવા ઑફલાઇન વાંચવાની મંજૂરી આપે છે.
લૅપટૉપ અને કમ્પ્યુટર
Google Play પર ખરીદેલ ઑડિઓબુકને તમે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને સાંભળી શકો છો.
eReaders અને અન્ય ડિવાઇસ
Kobo ઇ-રીડર જેવા ઇ-ઇંક ડિવાઇસ પર વાંચવા માટે, તમારે ફાઇલને ડાઉનલોડ કરીને તમારા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. સપોર્ટેડ ઇ-રીડર પર ફાઇલો ટ્રાન્સ્ફર કરવા માટે સહાયતા કેન્દ્રની વિગતવાર સૂચનાઓ અનુસરો.